પાલનપુર,
બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે સેજલપુરામાં મકાનની દીવાલ ધરાશાઇ થતાં 3ના મોત થતાં ચકચાર મચી જવા પામી છે.
મૂળ રાજસ્થાનના લોકો મજૂરી અર્થે સેજલપુરા વિસ્તારમાં આવ્યા હતા. મજૂરી એક મકાનનું કામ કરી રહ્યા હોવાથી બાજુના જર્જરીત મકાનની દિવાલ ધરાશાઇ થતાં 11 લોકો દટાયા હોવાનું હાલની સ્થિતિએ સામે આવ્યુ છે.
જોકે દીવાલ નીચે દટાઇ જવાની 2 બાળકો અને 1 મહિલા મળી 3 લોકોનું ઘટનાસ્થળે જ મોત થતાં પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
એજાગ્રસ્ત થયેલ વ્યક્તિ ને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
રિપોર્ટર : મનુ સોલંકી / સાકિર નેદરીયા (બનાસકાંઠા)